કવિતા-સુરેશ દલાલ
હે ભગવાન !
માણસોને આટલી હદે
શરીરનો ઓશિયાળો ન બનાવ!
આંધળી, અપંગ, બહેરી, બોબડી
અવાક જિંદગી.
તું ઈશ્વર નથી.
પરપીડીનમાં રાચતો
શયતાન છે.
ઠીંગરાયલા મનના બાળકને
સમજ પણ ન પડે
કે આ જિંદગી એટલે શું?
તું માણસનો મિત્ર નથી,
દુશ્મન છે.
અને છતાં
માણસ તારી પૂજા કરેછે.
તારી ભક્તિ કરેછે.
છતાંય તું આટલી હદે
અનાસક્ત?
અનાસક્ત રહેવાથી
ઈશ્વર થવાતું હોયતો
મારે ઈશ્વર નથી થવું.
મારે તો આસક્તિમય
માણસ જ રહેવું છે.
અને એક વાર
તને પણ ઓશિયાળો બનાવવો છે.
2 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



BHAGAWAN KO BADANAM NA KARO AISE KAM NA KARO
KARMNA FAL KHUDNE BHOGAVAVA J PADE CHHE
BHAWAN BANAVUN KE NAHIN
PAHELA INSAN TO BANO
Comment by REKHASDEDHIA | November 10, 2007
સૌ મિત્રોને દિપોત્સવી પર્વની મંગળ કામનાઓ અને નૂતન વર્ષાભિનંદન…
Comment by વિવેક | November 10, 2007