ચૂટેલા શેર
કોઈનાં ભીનાં પગલાં થશે , એવો એક વર્તારો છે,
સ્મિત ને આસું બન્નેમાંથી જોઈએ કોને વારો છે?
ઉર્મિની એક ઝૂંપડી દિલમાં બળી ગઈ,
તે દિવસે ચારે કોર ગજબ રોશની હતી.
ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,
રહી ગયો છે અમસ્તોજ મને મારો ખૂદા યાદ.
નિર્દયને ત્યાં લીધો છે વિસામો અનેકવાર,
ખૂદ આંસુએ દીધો છે દિલાસો અનેકવાર.
અમારી દુર્દશાઓ પણ તમારા રૂપ જેવી છે,
હજારો વાત કહી દે છે ને સંબોધન નથી હોતા.
જગતના માનવી માટે જગતના સૌ સીમાડા છે,
કવિ છું માટે મારે તો બધા રસ્તા ઉઘાડા છે.
-સૈફ પાલનપુરી



