એક ગઝલ
જોઈ એ એમની શેરીમાં જવા નીકળ્યો છું,
આદીપ શ્રદ્ધાનો જલાવીને હવા નીકળ્યો છું.
શું થયું ભીનાં સમયવનમાં હવા લઈ ચાલી,
એકે છાંટો નથી, તરબોળ થવા નીકળ્યો છું.
પગનાં છાલાં કે નથી ચાલવા દેતા ડગલું,
કેટલા પંથ ઉપાડીને નવા નીકળ્યો છું.
એ અનલહકની સદા કયાં, એ જમાનો ક્યાં છે?
વ્યર્થ ઘર ફૂંકીને મન્સૂર થવા નીકળ્યો છું.
સરફરોશીની તમન્ના ન ગઈ અંત લગી,
‘મીર’ ઝંઝાએ પોકાર્યો તો સવા નીકળ્યો છું.
-રશીદ મીર



