હૃદય બાગ-બાગ છે.
અંતરમાં રાગ છે ને નયનમાં વિરાગ છે,
‘ઓજસ’ દોરંગી દુનિયા પ્રણયનો દિમાગ છે.
વિરહી હૃદય મિલનમાં વિચારે છે એજ વાત,
મરવાને માટે હમણાં બહુ સારો લાગ છે.
આ મૌન મારું જોઈને ભૂલો ન ! દોસ્તો!
આજેય દિલના દર્દની દુનિયા સજાગ છે.
સંપૂર્ણતાએ પ્હોંચી નથી ત્યાગ-ભાવના,
વૈરાગ્ય પર હૃદયને અત્યારેય રાગ છે.
પાલવનો છાંયડો હો કે મૃત્યુની ગોદ હો,
બળતા હૃદયને એક શીતળાતાની આગ છે.
‘ઓજસ’, એ આજ મારી કને હોવા જોઈ એ,
નહિતર શું વાત છે કે હૃદય બાગબાગ છે.
-’ઓજસ’ પાલનપુરી
5 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



આજેય દિલના દર્દની દુનિયા સજાગ છે…..બહુ સરસ ગઝલ છે…
Comment by Rekha | August 28, 2007
સંપૂર્ણતાએ પ્હોંચી નથી ત્યાગ-ભાવના,
વૈરાગ્ય પર હૃદયને અત્યારેય રાગ છે.
-સરસ વાત…
Comment by વિવેક | August 29, 2007
આ મૌન મારું જોઈને ભૂલો ન ! દોસ્તો!
આજેય દિલના દર્દની દુનિયા સજાગ છે.
very nice..
Comment by chetu | August 29, 2007
એકલતામાં ભલે ને આ દિલ પુકારે
સાંભળનારા ના કાન સદા સજાગ છે
Comment by pravinash1 | August 29, 2007
પાલવનો છાંયડો હો કે મૃત્યુની ગોદ હો,
બળતા હૃદયને એક શીતળાતાની આગ છે.
nice words
Comment by shivshiva | August 31, 2007