ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્રણય-પત્રો-ચંદ્રકાન્ત ‘સુમન’

1400.jpg 

 કાં    પધારી   એ   રહ્યાં   છે ? મેં   પુકાર્યા  તો   નથી,
ખુદ-બ-ખુદ   માની  ગયાં  છે , મેં   મનાવ્યાં તો નથી.

કાં      તરંગોમાં   ઉમંગો    હું     નિહાળું    છું     ભલા?
સાગરે      કોઈ  ઉમંગીને       ડુબાવ્યા     તો     નથી!

દ્વાર     પર      આવીને   મારે       છે   ટકોરા     કોઈ,
અંધ     કિસ્મત, તું    જરા  જો   એ   પધાર્યા તો નથી?

ના     ઘટા     છાઈ    શકે      આવી    કદી    વૈશાખે,
એમણે    મારા      પ્રણય-પત્રો   જલાવ્યા   તો    નથી?

કેદ     લાગે     છે  જીવન   એણે   નજર   કીધા   પછી,
એમણે     અમને     જિગરમાંહે    વસાવ્યા   તો   નથી?

ઓશીકું    ભીનું    થયું       કેમ  રુદન   કીધા      વગર,
અમને   દિલબર !  તમે   સપનામાં   રડાવ્યા  તો નથી?

કેમ      ખારાશ       છે  આવી   એ     સંમદરના  જલે?
આંખ!  બે   આંસુ    કિનારે   તેં   વસાવ્યાં   તો   નથી?

યાદ    કાં   આવે    નહીં    મુજને    મિલન   કેરી  મજા?
એ    પ્રસંગો   તમે   પાલવ  તળે     ઢાંકવા  તો   નથી?

-ચંદ્રકાન્ત  ‘સુમન’

August 14, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 3 Comments

3 Comments »

  1. યાદ કાં આવે નહી મુજને મિલન કેરી મઝા….સરસ રચના છે.

    Comment by Rekha | August 14, 2007

  2. Very nice.
    Imaginary questions lead into the depth of ideas not common also.
    Moonlight also can spread fragrance.
    [chandrakant "suman"]
    My regards to the poet.
    Shah Pravinchandra Kasturchand

    Comment by Shah Pravinchandra Kasturchand | August 14, 2007

  3. It is very nice and reminding our Gujarati language, our culture and taking us close to our matrubhumi. You have our support to continue.
    Thanks

    Comment by Jigisha Kamalesh Sandesara | August 15, 2007

Leave a comment