આજના સુવિચારો **
* નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું બીજું કોઈ નથી
*તટસ્થ નિર્ણયશક્તિની સહુથી સાચી કસોટી એ છે કે આપણાં પ્રશંસકો પણ
આપણને અળખામણા લાગી શકે અને આપણી પ્રત્યે અણગમો ધરાવનારની
પ્રશંસા પણ આપણે કરી શકીએ.
*બીજા કોઈને ખોટો પુરવાર કરવાની જરૂર અનુભવ્યા વિના જ આપણે આપણી
સચ્ચાઈ વિશે સંતોષ લઈ શકીએ-ત્યારે આપણા પીઢપણાનો આરંભ થયો ગણાય.
* તેજસ્વી માનવીને દુઃખ પોતાની શક્તિ મર્યાદાનું હોય છે; પોતાનમાં જે શક્તિ છે તેની
લોકોને કદર નથી એ વાતનો રંજ નથી હોતો.
-વિચાર-માળનાં મોતી (સૌજન્યથી)
2 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



સુવિચાર વાંચવાની મઝા પડી ગઇ….
Comment by Rekha | July 23, 2007
BAHU GAMYU
SASHWAT SATYA
Comment by REKHASDEDHIA | July 24, 2007