ભડકા નથી હોતા-”મુકબિલ” કુરૈશી
પેંડાભાઈ, જરા જલ્દી કરો ! મને “પી ” લાગી છે! હો!
*******************************************
નિંરતર જિંદગીમાં દુઃખના દા’ડા નથી હોતા,
ચમનમાં ફૂલ પણ છે, એકલા કાંટા નથી હોતા.
ચરમ સીમા ઉપર પહોંચે, ખુશામદથી એ થાયે,
શશી સોળે કળાએ ખીલે તો તારા નથી હોતા.
તુષાતુર જીવ! તારી પ્યાસને પણ તૃપ્તિ મળવાની,
સરિતા પણ છે દુનિયામાં, બધે દરિયા નથી હોતા.
પ્રરણની હસ્તીનો આધાર છે સૌંદર્યની હસ્તી,
શમા જલતી નથી હોતી તો પરવાના નથી હોતા.
તમે કાં બીકમાં પાછા હટો ? એ ડંખ ના દેશે,
આ અરમાનો અમારાં સાપના ભારા નથી હોતા.
ભલે મોતી શું મૂલ્યાંકાન જગત આંકે છે એનું પણ,
અમારાં આસુંઓ કૈ એટલા સોઘા નથી હોતાં.
સમય એવોય આવે છે કદી આ જિંદગાનીમાં,
કે જ્યારે સાથમાં ખુદના જ પડછાયા નથી હોતા.
કહો કેવી રીતે જીવું હું એ વાતાવરણ માંહે ?
પરિચિત જ્યાં મને કોઈના પણ ચહેરા નથી હોતાં.
અમો અલગારીઓની સૃષ્ટ પણ કેવી અનોખી છે !
નથી હોતા કદી જ્યાં રંક કે રાજા નથી હોતા.
આ દુનિયાને કદી પુરેપુરી ના ઓળખી શકશે,
હૃદય પર ઘાવ કારી જેમણે ઝીલ્યા નથી હોતા.
સુખી છું એટલે ‘મુકબિલ’ હંમેશા વિશ્વની નજરે,
હૃદયની આગના જાહેરમાં ભડકા નથી હોતા.
2 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



નિંરતર જિંદગીમાં દુઃખના દા’ડા નથી હોતા….દુઃખની પાછળ સુઃખ છુપાયેલ હોય છે….સરસ ગઝલ છે.
Comment by Rekha | July 19, 2007
GOOD
POSITIVE THINKING
KIP IT UP
REKHA
Comment by REKHASDEDHIA | August 1, 2007