એ વાત ખોટી છે.
કવિઓએ કવિતામાં કહી એ વાત ખોટી છે,
મળે ગમમાં જ દિલને જિંદગી, એ વાત ખોટી છે.
પ્રચારક છે બધાયે સત્યનો વેપાર કરનારા,
તમે જે ભરસભામાં સાંભળી એ વાત ખોટી છે.
તમે આંસુ વહાવ્યાં એ તો આ વાતાવરણ કહે છે,
હવાના સૂર વાટે જે મળી એ વાત ખોટી છે.
હિમાલયની આ કન્યા કોઈના શિર પર રહે શાથી?
જટામાંથી જ આ ગંગા સરી છે એ વાત ખોટી છે.
જીવન અર્પણા કરી દીધું છે મેં તો મૂક વાતોમાં,
હ્રુદયની ભેટ મેં તમને ધરી એ વાત ખોટી છે.
ઘમંડે રૂપના તમને ભુલાવ્યાછે , હકીકત છે,
નજર મારી નથી કૈ કરગરી, એ વાત ખોટી છે.
તડપ છે, ગમ છે, દિલ છે, ઘા છે, ઘાના આપનારા,
છતાં સૂની કહો છો જિંદગી? એ વાત ખોટી છે.
વધુ શું બોલશે ‘મનહર’ જીવનું માપ નાનું છે,
તમે કીધું, ગઝલ તમને ગમી, એ વાત ખોટી છે.
-મનહર ચોકસી
5 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



પહેલી જ વાર તેમની રચના વાંચી. અદ્ ભૂત લખ્યું છે.
Comment by મહેન્દ્ર પંચાલ | June 30, 2007
તડપ છે, ગમ છે, દિલ છે, ઘા છે, ઘાના આપનારા,
છતાં સૂની કહો છો જિંદગી? એ વાત ખોટી છે.
sundar rachanaa…..
Comment by કુણાલ | June 30, 2007
આ સુંદર ગઝલ છે. મને ખુબ ગમી..
Comment by Rekha | July 2, 2007
વધુ શું બોલશે ‘મનહર’ જીવનું માપ નાનું છે,
- આ પંક્તિમાં જીવ ની જગ્યાએ જીવન હોય તો છંદ બરાબર બેસે છે…
હૃદય લખવા માટે અંગ્રેજીમાં hRday ટાઈપ કરશો…
Comment by વિવેક | July 7, 2007
wah, saras gazal.
Comment by sagarika | July 11, 2007