એક ગઝલ-મનસુખ વાઘેલા
“ Kalyug naa Balkrushna”
*******************************
કોઈ કહો કે પાર્થને પક્ષી છે આંધળું;
હમણાં તો આમતેમ ભટકતું હું તીર છું.
ઊભા છે લઈ હાથમાં એ કર્ણ-કુંડાળો,
પાછો કરું સ્વીકાર ! ના,ના, હું વીર છું.
પૂછે કોઈ તો કહી દઉં કે નાશ છે બધે,
ખેંચાઈ શાપ તો જ બતાવું કે ધીર છું.
એક ક્ષણ જશે તો આ સભાય નગ્ન થઈ જશે,
આવો હે શ્યામ! દ્રોપદીનું છેલ્લું ચીર છું.
‘મનસુખ’ ના કુરુક્ષેત્રમાં બાકી હજી ગઝલ,
મારી શકી તો મારજે હમણાં તો મીર છું.
-મનસુખ વાઘેલા(૦૩૦૦૩-૧૯૫૦)
3 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



કલ્યુગનાં બાળક્રુષ્ના સરસ પિકચર લીધુ છે…સરસ છે.
Comment by Rekha | May 31, 2007
Ghani vaar -Gazal karta phota interesting hoy chhe–
Comment by Harnish Jani | May 31, 2007
hi i have gone thro’ur website i was wondering if u have any kind of
Comment by meghna | June 8, 2007