ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્રથમ પ્રણયાનુભૂતિની ગઝલ

15053qi93blasto1.gif 

 એમ    શાને   થાય   છે   તારા  વગર  રહેવાય   નૈ,
ને   વળી   આ    લાગણીને   પ્રેમ   પણ  કહેવાય નૈ.

ખૂબ     ઊંડેથી     તને    હું   સાદ  દઉં  છું ને  છતાં,
તું   મળે   પ્રત્યક્ષ   ત્યારે   ‘કેમ છે?’  પુછાય    નૈ.

રાહ   તારી   જોઉં   કે   નીરખું    કે  હું   ઝંખું    તને ,
ત્રણ   ઘટાનાઓથી  આગળ  આ  કથા કંઈ    જાય  નૈ.

હુંય    એ    જાણું   જ છું    કે   તું     બધું જાણે જ છે,
તુંય   એ   જાણે   જ   છે   કે    કંઈ  બધું   કહેવાય નૈ.

એટલી   નાજુક   છે    તારી    નિકટતા,   કે   તને-
એ તૂટી   જાવાના   ડરથી  સ્પર્શ  પણ    કંઈ  થાય નૈ.

એક    દી   તું     આ    નજરથી દૂર  થઈ  જાશે  અને
હું   કહી   પણ   ના શકીશ   કે   કંઈ  મને    દેખાય નૈ.

મ્ હેકતો   ગજરો   હશે    તારી   લટોમાં   ને      અહીં-
એ   સ્થિતિ   મારી    હશે    કે     શ્વાસ પણ  લેવાય નૈ.

આ   બધું    કેવી   રીતે   છે    આ    બધું  શા  કારણે ?
આ   બધું   કહેવાય નૈ ,  સહેવાય   નૈ, સમજાય  નૈ.

-રિષભ મહેતા(૧૬-૧૨-૧૯૪૯) જન્મસ્થળ વેડાછા, નવસારી
કાવ્યસંગ્રહ- ‘આશકા’, સંભવામિ ગઝલે ગઝલે’ ‘તિરાડ.
કોલેજમાં આચાર્ય…

 

May 24, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 7 Comments