ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એ મને ગમે ના..

showletter-9.jpg 

મંદીરમાં મને રસ્તો મળે ના, પૂજારીનો પંથ મને ગમે ના,
હરીના  દ્વાર બંધ થઈ જાય, એવો  મારગ મને  ગમે ના.

કેટલાંય  બાળકો   ભૂખથી    ટળવળે એ   આ   જગત માં,
અન્નના   ઢગલા   ધર્મ   નામે   થાય   એ મને   ગમે ના.

ફૂલોની ચાદર પાથરી આરામ થી  પોઢતા  પાખંડી ધર્મગૂરૂ,
ગરીબડા   આભ     ઓઢી   ઉંઘતા   એ    મને   ગમે ના.

કોણે  કોની  પરવા   કરી છે,  દયા-દાન માત્ર  કહેવાના !
કેવા   ખોટા   ખેલ છે   સંસારના,  એ   મને     ગમે ના.

March 30, 2007 - Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | 3 Comments

3 Comments »

  1. ઘણુ બધુ એવુ હોય છે કે આપણને ગમે ના….પણ આ સંસારમાં ચલાવી લેવુ પડે છે. સરસ કવિતા છે.

    Comment by Rekha | March 30, 2007

  2. હરીના દ્વાર બંધ થઈ જાય, એવો મારગ મને ગમે ના.

    સુંદર ભાવ

    Comment by Neela Kadakia | April 2, 2007

  3. અ વિશ્વમાં સ્ઘળું કુદરતના નિયમ અનુસાર થાય છે
    પામર માનવી ગાડા તળે કૂતરુ અને ભાર હું તાણું
    જાત જાત ના નિયમો ધારા ઘડે એ મને ગમે ના

    Comment by pravina kadakia | April 2, 2007

Leave a comment