એ મને ગમે ના..
મંદીરમાં મને રસ્તો મળે ના, પૂજારીનો પંથ મને ગમે ના,
હરીના દ્વાર બંધ થઈ જાય, એવો મારગ મને ગમે ના.
કેટલાંય બાળકો ભૂખથી ટળવળે એ આ જગત માં,
અન્નના ઢગલા ધર્મ નામે થાય એ મને ગમે ના.
ફૂલોની ચાદર પાથરી આરામ થી પોઢતા પાખંડી ધર્મગૂરૂ,
ગરીબડા આભ ઓઢી ઉંઘતા એ મને ગમે ના.
કોણે કોની પરવા કરી છે, દયા-દાન માત્ર કહેવાના !
કેવા ખોટા ખેલ છે સંસારના, એ મને ગમે ના.
3 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



ઘણુ બધુ એવુ હોય છે કે આપણને ગમે ના….પણ આ સંસારમાં ચલાવી લેવુ પડે છે. સરસ કવિતા છે.
Comment by Rekha | March 30, 2007
હરીના દ્વાર બંધ થઈ જાય, એવો મારગ મને ગમે ના.
સુંદર ભાવ
Comment by Neela Kadakia | April 2, 2007
અ વિશ્વમાં સ્ઘળું કુદરતના નિયમ અનુસાર થાય છે
પામર માનવી ગાડા તળે કૂતરુ અને ભાર હું તાણું
જાત જાત ના નિયમો ધારા ઘડે એ મને ગમે ના
Comment by pravina kadakia | April 2, 2007