ગઝલ -ડો.રઈશ મનીયાર
આંખથી ટપક્યું અવશ તે આસું હોવું જોઈ એ,
કૈક ભીતર દદૅ તો સચવાયું હોવું જોઈ એ.
મારો દિવો તારા ઘર ને શી રીતે રોશન કરે,
દોસ્ત ! સૌનું પોતીકું અજવાળું હોવું જોઈ એ.
એક માણસ સાદ પાડે, સાંભળી સૌ કોઈ શકે,
વિશ્વ આખું એટલું ,બસ નાનું હોવું જોઈ એ .
મોત સરખું દુઃખ પડે તો કોઈ મરતું નથી,
મોત માટે ભાગ્યમાં મરવાનું હોવું જોઈ એ .
મારે સરનામે મ્ળ્યું છે મારી વિગત કોઈ નથી,
જિંદગી- પરબીડિયું -બીજાનું હોવું જોઈ એ .
(કવિ મિત્ર શ્રી રઈશ મનીયારે હ્યુસ્ટનમાં રજૂ કરેલ
દિલચસ્પ ગઝલ-૨૦૦૪)



