હ્યુસ્ટન-ગુજરાતી સાહિત્ય સરિતા..પ્રગતિના પંથે..


હ્યસ્ટનની હવામાં એક અનોખી સુગંધ ભળતી ભળતી..ચો તરફ ફેલાતી, ફેલાતી,સાહિત્યની સરિતાની જ્ઞાન -ગંગામાં એક અનોખી સૌરભ પ્રસારી રહી છે. એનો ઉત્સાહ અને ઉમંગમાં યુવાનીનું જોમ વધી રહ્યું છે. જ્યાં વસંતની ફોરમ છે, કોયલનો ટહુકો છે,રણકો છે ત્યાં આ ભાવના ટકી રહે એજ પ્રયોજનથી એક સુંદર સાહિત્ય સરિતાની બેઠક, જુન,૨૦,૨૦૦૯..રવિવારે આયોજન આપણાં જાણીતા-માનીતા સંવેદનશીલ કવિ શ્રી હેમંતભાઈ ગજરાવાલાને ત્યાં યોજાઈ.સમય બપોરનો ૧૨.૩૦નો, લન્ચનો,પેટની પુજાનો સમય.યજમાન શ્રીમતી પૂર્ણિમાબેને સ્વાદિષ્ઠ ભારતીય ભોજન પ્રેમથી જમાડ્યું,ત્યારબાદ સમય આગળ વધી ન જાય તે લક્ષમાં રાખી, આપણા અનુભવી સભા-સંચાલક શ્રી રસેશ દલાલે દોર હાથમાં લીધો.સાહિત્યની આરાધના દેવી સરસ્વતિની સ્તુતિ..યા કુંદે…મા સરસ્વતિની પ્રાર્થના શ્રોતાજનો સાથે શ્રીમતી દેવીકાબેન મધુરે કંઠે ગાઈને વાતાવરણને સાહિત્યમય બનાવી દીધું.મુંબઈથી અમેરિકા..અને એ પણ એક શિક્ષિકા, એક કવિયત્રી શ્રીમતીશૈલા મુન્શાએ પિતાના વાત્સલ્યને યાદ કરતા, ભાવ-વિભોર બની “પુષ્પ અને જીવન વાણી”માં વહેતી કૃતી શ્રોતાજનોને પ્રિય લાગી.શબ્દોને પાલવડે..કવિતાના મોતી ભરનાર કવિયત્રી દેવીકાબેન ધ્રુવએ એમની લયબધ કૃતિ..
“પુષ્પ નથી તો ઉપવન નથી
ઉપવન નથી તો આ કવન નથી,
પુષ્પ નથી તો સજની અને સનમ નથી
પુષ્પ નથી તો જીવન નથી.
પુષ્પ અને જીવન..એક બીજાને કેટ્લાં આત્મિય છે! આ સુંદર રચના સાથે વિજયભાઈની “શબ્દયાત્રા”ના પંથમાંથી ગુજરાતી ભાષાના નવા શબ્દો રજૂકર્યા..મજા આવી ગઈ.’વાત્સલ્યના લીલા,લીલા પાન..મેં તો પીધા મીઠા મધુરા પાન” ની કવિતા શ્રી વિશ્વદીપ બારડે” Father’s day” નિમિત્તે પિતાને યાદકરી સંવેદન-સુરે કવિતા રજૂ કરી સૌને ભાવ-વિભોર કરી દીધા.
સિંહ-ગર્જના વગર જુનાગઢની તળેટી સુની લાગે તેમ સાહિત્ય સરિતામાં રસિક મેઘાણીના પહાડી સ્વરે..”માનો કે ના માનો “ગઝલ રજૂ કરી વાતાવરણ જુસ્સેદાર બનાવી દીધું અને સોનામા સુગંધ ભળે એમ લેબટૉપમાંથી ચુનંદા ગીતો, શાયરી, ગઝલ જાણીતા-મનીતા ગાયકોના સ્વરે સાંભળવા મળ્યાં એ સભાના સુત્રધારની એક અનોખા પ્રયોગની સંપૂર્ણ સફળતા હતી.
આજની બેઠક સાહિત્ય સરિતામાં સરતા, સરતા આગળ વધી રહી હતી,,એના દોરમાં આજે ઘણું જોર હતુ!એના હિસ્સેદાર રુપે ધીર ગંભીર, સાદી પણ સચોટ શૈલીના કવિ શ્રીધીરૂભાઈ શાહ, સાથો સાથ અશોકભાઈ પટેલ પોતાની અનોખી અદા સાથે અને પ્રશાંત મુન્શા પણ રમુજ સાથે રજૂ થયા.ભારતથી અમેરિકાની અવારનવાર મુલાકાતી વંદનાબેન એન્જીનીયર, એક લેખિકા, કવિ અને નિબંધકારે તાજેતરમાં લખેલ ખ્યાતનામ થયેલ પુસ્તક
“એલિસબ્રીજ સર્જક..રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ”ની વેશેષ માહિતી તેમજ તેમણે લખેલ પુસ્તકોની સમજ શ્રોતાજનો આપી.લાગણીશીલ, મોભેદાર કવિયત્રી વંદનાબેન આપણી સાહિત્ય સરિતાનું ગૌરવ છે.
માનવતતાવાદી ને સંવેદનશીલ કવિ શ્રી હેમંતભાઈ આ વખતે એક અનોખી વાત..”પ્રાણીમાં જીવ-દયા હોય છે..એમાં પણ લાગણી ને મમતા હોય છે “એ સત્ય ઘટના..લેપટૉપ પર સૌને બતાવી શ્રોતાજનોને ભાવ-વિભોર બનાવી દીધા.
છેલ્લા છ મહિનાથી ગુજરાતી સાહિત્ય સરિતાનો દોર હાથમાં લઈ, ઘણી સુંદર બેઠકોનું આયોજન કરનાર શ્રી જયંતભાઈ પટેલ તેમજ શ્રી સુરેશ બક્ષી બન્નેના સાહિત્ય સરિતા આભારી છે. ગુજરાતી સાહિત્યના સંચાલક તરીકે શ્રી વિશ્વદીપ બારડ નિયુક્ત થયા.
શ્રી સુરેશભાઈ તેમજ અતુલભાઈ સભામાં ઘણી અગત્યની જાહેરાતો કર્યાબાદ અંતમાં મધુર કંઠી શ્રી પ્રકાશ મજબુદારે બે ગઝલ ગીત સંભળાવી,વાતાવરણને સંગીતમય બનાવી દીધું.સભાના સુત્રધાર શ્રી રસેશ દલાલે સમય-સાચવી, સુંદરરીતે સભાનું આયોજન કર્યું તે બદલ સાહિત્ય સરિતા એમની આભારી છે. સાથો સાથ યજમાન.”ગજરાવાલા ફેમીલી”એ આપેલા સુંદર આવકાર સાથે..સ્વાદિષ્ટ ભોજન માટે સાહિત્ય સરિતા એમની પણ ઋણી છે.
અહેવાલ: રસેશ દલાલ, વિશ્વદીપ બારડ
મુંબઈનું ગૌરવ..(A beautiful bridge-Landmark for Mumbai city)-પ્રવિણાબેન કડકીયા

વર્લીથી બાંદરાની સવારી,
અરબી સમંદર પરની ભવ્ય સવારી.
ચો તરફ બસ પાણી, પાણી,
નજર મારી રહી બસ ભાળી ભાળી.
મુંબઈધરાનું સ્વપ્ન સાકાર.
ન્યુયોન લાઈટનનો જ્યાં જય-જયકાર,
ખુબ-ઝડપી,સુંવાળી મોટરની સહેગાઈ નિહાળી.
સૌદર્ય-પાન કરતાં આંખડી ઠારી,
યશગાથા ગાતા થાકે ન જીહવા મારી.
વા’રે મુંબઈ તારી કમાલ,
થોડી પળો વિસરી ધમાલ,
ધીરે ધીરે ,
હલ સમસ્યા તારી..
હા, પૈસામાં ચૂકવી કિંમત ભારી.
-પ્રવિણાબેન કડકીયા
મુંબઈમાં…..

મુંબઈમાં
રવિવાર્ની સાંજે
શ્રીનાથજીના મંદીરમાં
સહેજે પણ ભીડ નહી
અને રેસ્ટોરાં
ચિક્કાર ભરેલી
બહાર કેટલાંયે માણસોનું ટોળું
ટેબલની રાહ જોતું.
વર્ષો પહેલાં
દિવસ-રાતના ફ્રિજમાં
ઈશ્વરને ધરેલો અન્નકૂટ
હજીયે પડ્યો છે.
ઈશ્વર આજે એનાથી
ચલાવી લેશે..
-સુરેશ દલાલ
ડૉ. મણીલાલ હ.પટેલ સાથે જ્ઞાન-ગોષ્ઠી..

(તસ્વીર: પહેલી હરોળ (ડાબી બાજુથી):જયંત પટેલ,મધુસુદન દેસાઈ, દિનેશ શાહ,ડૉ.મણીભાઈ પટેલ,વિશ્વદીપ બારડ,વિનોદ પટેલ,
બીજી હરોળ:(ડાબી બાજુથી):પ્રશાંત મુનશા, શ્રીમતી ગાંધી, ભારતી દેસાઈ,શૈલા મુનશા,પૂર્ણિમા ગજરાવાલા,ભારતી મજબુદાર, રેખા બારડ,જીગીશા સંડેસરા, કલ્પના શાહ, ગીતા ભટ્ટ,
ત્રીજી હરોળ:(ડાબે બાજુથી):ફતેહ અલી ચતુર,દિપક ભટ્ટ,હેમંત ગજરાવાલા,અશોક પટેલ,પ્રકાશ મજબુદાર,કમલેશ સંડેસરા)
**********************************************************************************************
પરદેશમાં રહી ગુજરાતી સાહિત્ય પ્રત્યે પ્રેમભાવ તેમજ આપણી માતૃભાષા, આપણી ગુજરાતી સંસ્કૃતિ સદા ટકી રહે એજ ભાવના એજ હેતુ થી ભારતથી પધારેલ એક સર્જક, વાર્તાકાર, કવિ અને વિવેચક ડૉ. મણીલાલ હ.પટેલનો લાભ હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય પ્રેમી પ્રજાને મળે એ પ્રયોજનથી જુન,૨૮,૨૦૦૯,રવિવાર, બપોરે ૨.૦૦વાગે ગુજરાતી સાહિત્યના સરિતાના સંચાલક શ્રી વિશ્વદીપ બારડને ત્યાં બેઠક રાખવામાં આવેલ અને ઉમળકાભેર સાહિત્ય પ્રેમીઓ સારી એવી સંખ્યામાં હાજરી આપેલ.ડૉ.મણીભાઈ એ પણ અમારું આમંત્રણ હર્ષભેર સ્વીકારી લીધેલ.
બેઠકની શરૂઆત ડૉ.મણીભાઈનું ફૂલ-ગુચ્છથી સપના બારડે સ્વાગત કરેલ.વિશ્વદીપ બારડે ડૉ.મણાભાઈનો પરિચય આપતા કહ્યું:”ગુજરાતી સાહિત્યક્ષેત્રે અગ્રગણી એવા ડૉ.મણીભાઈનો પરિચય આપવો એ મારા માટે ગાગરમાં સાગર ભરવા સમાન છે.ડૉ. મણીભાઈ આપબળે આગળ આવનાર એક સર્જક અને અધ્યાપક ગુજરાતી સાહિત્યમાં ઘણાં પારિતોષકો મેળવ્યાં છે.૨૦૦૪માં એક ઉત્તમ અધ્યાપક અને ભાવકપ્રિય સાહિત્યકાર તરીકે એમનું સન્માન ગુજરાતના મૂખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીને હસ્તે થયું હતું.એવો એક અગ્રગણી વાર્તાકાર ,કવિ અને વિવેચક છે.આપણે સૌ તેમને સાંભળીએ અને એજ એમનો વિશેષ પરિચય છે.”
ડો. મણીભાઈએ શરુઆત કરતા કહ્યું “સુખતો પંતગિયા જેવું છે, જેમ જેમ પકડવા જાવ તેમ તેમ દૂર ભાગતું જાય છે..સમય પસાર નથી થતો આપણે પસાર થઈ જઈ એ છીએ..કેવું સાહિત્ય જગતમાં ટકી શકે? એની ઊડી સમજણ આપતા કહ્યું “કાળ સામે જે સાહિત્ય બાથ ભીડી શકે એ સાહિત્ય ટકે છે.ગુજરાતી સાહિત્યમાં ઘણું લખાયું છે અને આજ પણ લોકોના હૈયામાં, મનમાં વસી ગયું છે, જીવંત છે. લેખન વિશે ખ્યાલ આપતા કહ્યું કે દરેક લેખક પોત-પોતાને અનુભુતી અને અનુભવને પોતાનું ક્ષેત્ર બનાવે છે. એનો દાખલો આપતા પ્રિયકાંત મણીયારની કવિતા..”એ લોકો”..એ લોકો પહેલા અનાજની ગુણો ભરીને સીવી રાખે છે.. અને ભુખ્યો માણસ મરી જાય પછી શેર શેર વેચે છે.” આ કાવ્ય હેતુલક્ષી કાવ્ય ગણાય, બીજુ સાહિત્ય કુદરત વિશે અને ત્રીજુ સાહિત્ય આપણાં જીવનની એકલતાને આવરી લેતુ સાહિત્ય. સુરેશ જોશીની કવિતા..”કવિનું વસિયતનામું’..કાલે કદાચ ન હોઉં..અને સૂરજ ઉગે તો કહેજો..કે મારી બિડાયેલી આંખમાં એક આંસુ સુકવવું બાકી છે..ના ઉદાહરણ સાથે સમજાવેલ કે શબ્દોને ત્રણ ગુણધર્મ હોય છે..”શબ્દ વાદ છે,શબ્દ લય છે, શબ્દ અર્થ છે. એના સંદર્ભમાં એમની એક સુંદર કવિતા રજૂ કરી..”બાની સાથે ગયું બાળપણ..ગામ જવાની હઠ છોડી દે..વસ્તી વચ્ચે વિસ્તરતું રણ, ને ગામ જવાની હઠ છોડી દે, લોહી ખરું પણ નથી સગાઈ, ગામ જવાની…ગામડું ..ગામડું નથી રહ્યું..જયાં પ્રેમભાવ,,ઉષ્માભર્યો આવકાર હવે નથી રહ્યો..જાણેકે હવે સગાઈજ નથી રહી..કાવ્યના પઠન સાથે સૌ શ્રોતાજનો ભાવ-વિભોર બની ગયેલ્.પોતાના સ્વરચિત તેમજ અન્ય કવિઓનાની રચના રજૂ કરતાની સાથે સાથે વાર્તા, કવિતા કે નિબંધ કેવી રીતે લખાવી જોઈ એ એની ઊડી ચર્ચા કરીને સાથો સાથ સાચી સમજ પણ આપી..પોતાના પિતાશ્રી સાથે થયેલા–ખાટા-મીઠા અનૂભવનો ઉલ્લેખ કરતા પ્રેક્ષકો સાથે પોતે પણ ભાવ-વિભોર બની ગયેલ..શું હોય છે પિતાજી..તે દિવસે ક્યારીમાં પાણી વાળતા વિધૂર પિતાને જોઈને..આ કવિતા જ્યારે રજૂ કરી ત્યારે ઘણાં શ્રોતાજનોની આંખો ભીની થઈ ગઈ હતી..
લગભગ બે કલાક ચાલેલ આ બેઠક ઘણી મહ્ત્વ પૂર્ણ હતી અને પરદેશમાં બેઠેલા અને ગુજરાતી સાહિત્યના ચાહકો, લેખકો, કવિઓ માટે ઉત્સાહ ભરનારી અને “જ્ઞાન સાથે ગમ્મત’ભરી સભા હ્યુસ્ટનના આંગણે યોજય એને માટે ગુજરાતી સાહિત્ય સરિતા ડૉ.મણીભાઈ પટેલ હૃદય પુર્વક આભારી છે.બેઠકના અંતમા GSS સ્થાપક શ્રી દિપકભાઈ ભટ્ટે આભાર માનતા કહ્યું..”હ્યુસ્ટનમાં સાહિત્યની ઘણી બેઠકો યોજાયેલી છે જેમાં પહેલી,,ડૉ.રઈશ મણીયાર, બીજી ડૉ.વિનોદ જોશી અને આ ત્રીજી બેઠક આપની જેમાં અમોને ઘણીજ રસપ્રદ માહિતી મળી છે સાથો સાથ અવિરત આનંદ મળ્યો છે..જેને માટે અમો સૌ આપને આભારી છીએ.શ્રોતાજનોની તાળીઓના ગડગડાટ સાથે બેઠક પુરી થઈ સાથો સાથ શ્રીમતી રેખા બારડે તૈયાર કરેલ ચા-પાણીને અલ્પાહાર લઈ સૌ છૂટા પડેલ.
અહેવાલ: વિશ્વદીપ બારડ
શા માટે?

શા માટે
આપણે આપણી વાતો
કર્યા કરીએ છીએ?
શા માટે આટલો બધે ફાંકો?
આટલી બધી ડંફાસ?
બોલી બોલીને ક્યા
ખાલીપાને પૂરવા માગીએ છીએ?
કોઈના કાન પર
પથરા ફેંકતા હોઈએ
એમ શબ્દો ફેંકવાનું
માંડી ન વાળી શકાય?
શબ્દોની હથેળીને
એક વાર તો બંધ કરી જુઓ
અને મુઠ્ઠીમાં સમાયેલા
મૌનની ઈજ્જત કરો.
-સુરેશ દલાલ
MICHAEL JACKSON
![1[1] 1[1]](http://vishwadeep.files.wordpress.com/2009/06/11.jpg?w=300&h=202)
(‘‘vtuv rfkd¥¥ btRfj su¾mlle gt’btk Cth;lt «Ïgt; rNÕvfth Mþ’Nol vxltgfu Ãþhelt ftkXu hu;ebtk:e su¾mlle «r;f]r; fkzthe Au)
MICHAEL YOU ARE SO LOVED AND YOU WILL BE MISSED DEARLY. OUR HEARTS AND PRAYERS AND BEST WISHES GO OUT TO YOUR FAMILY AND CHILDREN. YOU WERE AN INSPIRATION TO EVERYONE AROUND THE WORLD OF ANY RACE, YOU WERE A GIFTED HUMAN BEING AND MAY GOD EMBRACE YOU WITH OPEN ARMS. SEE YOU IN HEAVEN MICHAEL JACKSON. MAY YOU REST IN PEACE
રવિન્દ્રનાથનાં મૌક્તિકો…

પંતગિયું પોતાની આવરદા મહિનાઓમાં નહીં,
ક્ષણોમાં સમાવી દે છે-
અને છતાંય તેને સમયનો તોટો નથી!
The butterfly does not count years but
moments and therefore has enough time.
સૂરજને સંબોધેલાં જૂઈ-વેલનાં પ્રેમ-ઉચ્ચારણ થોથવાયાં
ને એ ફૂલ બનીને ખીલ્યાં.
The jasmine’s lisping of love to
the sun is her flowers.
પ્રભુ સ્વર્ગના સુખથી કંટાળે છે
ત્યારે માનવીની ઈર્ષા કરે છે.
God’s tired of their paradise, envy man.
દિવસભર તરછોડાયેલ દીવડો
રાત ઢળ્યે જ્યોતના ચુંબનને ઝંખે છે.
The lamp waits through the long day of
neglect for the flame’s kiss in the night.
મારા હ્રદયનાં યાયાવર ગીત ઊડીઊડીને
તારા સ્નેહ-કંઠમાં શરણ શોધે છે.
Migratory songs wing from my heart
and seek their nests in your voice of love.
ગઈકાલની પ્રીત જે માલાને ત્યજી ગઈ
તેમાં મારા પ્રેમનો આવાસ નથી.
My love of today finds no home
in the nest desertted by yesterday’s love.
પ્રભુ ઉપહાર લેવા માટે હાથ લંબાવે છે
ત્યારે જ માનવીને પોતાના વૈભવનું ભાન થાય છે.
Man discovers his own wealth
when God comes to ask gifts of him.
હું મારા ભગવાનેને ચાહી શકું છું
કારણ કે તેના અસ્વીકારનું તેણે મને
સ્વાતંત્ર આપ્યું છે.
I am able to love may God
because He gives me freedom to deny him.
શબરીનું મન મ્હોરે

શબરીનું મન મ્હોરે.
રામ નામની માળા જપતાં અંતર અવિરત ફોરે
શબરીનું મન મ્હોરે.
ક્ષણ ક્ષણના અજવાળે ચાખ્યાં મીઠાં મધરક બોરાં,
પદરવની પગથારે એનાં નેણ ઝરે છે કોરાં,
‘ક્યારે આવશે રામ’ વિચારે ગાતી વ્હેલા પ્હોરે.
શબરીનું મન મ્હોરે.
સાવ ઝૂંપડી નાની તો પણ હૈયું વિશાલ છલકે,
પળ પળ ગણતાં ભવ જાશે શું, અશ્રુ નયન ઝળકે,
એક અભીપ્સા અંતરમની શમણાં કેડી દોરે,
શબરીનું મન મ્હોરે.
વાવલિયા આવે વહેતા કે ‘રામ પધારે હમણાં’
ઝટપટ દોડી જાય નેજવે સાચ હશે કે ભ્રમણાં !
ટોળે વળતી તૃષ્ણાઓની ઠપકા અઢળક વ્હોરે.
શબરીનું મન મ્હોરે.
-જગદીશ ધનેશ્વર ભટ્ટ
(આપના અમૂલ્ય પ્રતિભાવ આપશોજી)
જો એ મળે તો…

શું હોય છે ઈશ્વરપણું, જો એ મળે તો પૂછજે
કા’ આટલું નોખાપણું? જો એ મળે તો પૂછજે
અસ્તિત્વનો ખોળો સૂનો, જાણતું નથી કોઈ અરથ
શું કામ દીધું વાંઝણું? જો એ મળે તો પૂછજે
આ રાત છે મો’રા સમી, ચહેરા ખરા જોવા ન દે
થાશે કદી મોંસૂઝણું? જો એ મળે તો પૂછજે
‘જે પોષતું તે મારતું એ ક્રમ દિસે કુદરતી’
આ વાતને હું શું ગણું? જો એ મળે તો પૂછજે
સાબૂત દીધું આ રમકડું તેં મને કા’ આટલું?
તૂટી શક્યું ના હું પણું..જો એ મળે તો પૂછજે
પથ્થર અને પથ્થર મહીં જો તું પમાતો હોત તો
હું કેટલાં પુણ્યો ચણું? જો એ મળે તો પૂછજે
ઓતમ અહીં મરતો રહે, અંતિમક્રિયા શી જિંદગી
હું કેટલાં મૃત્યુ જણું? જો એ મળે તો પૂછજે
તારા જગતની આ હવા, ચચર્યા કરે હોવામહીં
આપીશ ક્યારે ખાંપણું? જો એ મળે તો પૂછજે
ગઢવી સુરેશ’વરસાદ’
(આપનો અમૂલ્ય અભિપ્રાય આપશો)
માનવ
એમ્બ્યુલન્સ,ફાયર-બ્રીગેડ,પોલીસ-કાર વગેરેના સાયરનનો અવાજ સાંભળી, બે-બાકળો ઉઠી, નાઈટ-ગ્રાઉન પહેરી, સિક્યોરીટી સિસ્ટમ બંધ કરી ઘરની બહાર આવી જોયું તો બાજુ ના પડોશી મહેશભાઈના ઘરમાં જબરી આગ જોઈ! ફાયર-હાઈડ્ર્ન્ટમાંથી પુરાજોશ સાથે પાણીનો મારો ચાલુ હતો, ફાયર-પ્રૂફ ડ્રેસ પહેરેલા ડીપાર્ટમેન્ટના માણસો ઘરમાં જઈ સભ્યોને બચાવવા પુરી કોશીષ કરી રહ્યાં હતાં. અફસોસ ! ઘરમાંથી એક પછી એક ત્રણ લાશ એમ્બ્યુલન્સમાં મૂકતા જોઈ, કડકડતી ઠંડીમાં ઉષ્ણતા ભર્યા આંસુથી ગાલ દાઝ્યાની લાગણી અનુભવી! વર્ષો જુના પડોશી મિત્ર મહેશભાઈ, મંજુબેન અને દીકરા માનવનું આવું કરુણ મોત! કેટલીય વખત મારા યાર્ડમાં ફૂલના છોડ રોપવા માનવે મને મદદ કરી છે,મહેશભાઈ મારી માંદગીમાં ડૉકટરને ત્યાં જવા રાઈડ આપી છે, રસોઈના શોખીન મંજુલાબેન કોઈ સરસ વાનગી બનાવી હોય તો ઘેર આવી આપી જાય! એકાએક શું થયું હશે? ઘરમાં આગલાગી હશે ત્યારે સ્મોક-ડીટેકટર નહી વાગ્યું હોય? સિક્યોરિટી-સિસ્ટમ કામ નહી કરી હોય ? એતો ઑટોમેટિક પોલીસ અને ફાયર-ડીપાર્ટમેન્ટને જાણ કરી દે! હા, કદાચ એથીજ તો ફાયર-ડીપાર્ટમેન્ટ્ , પોલીસ અહીં જલ્દી આવી પહોંચી. લીન્કન સબ-ડિવિઝનના સૌ રહેવાસીના મોઢાપર ઉદાસીનતા હતી!
બીજે જ દિવસે ટી.વી પર સમાચાર જાણવા મળ્યા કે આગ ઈરાદા-પૂર્વક લગાવવામાં આવી હતી, પૂત્ર માનવની લાશ રસોડામાંથી મળી અને સાથો સાથ ગેસ-કેન(પેટ્રોલનો ડબ્બો)પણ , પોલીસે આગળ તપાસ આદરતા જાણવા મળ્યું કે વૉલમાર્ટ સ્ટોરમાં માનવ રાત્રે બે વાગે ગેસ-કેન સાથે લાઈવ- વિડિયોમાં જોવા મળ્યો.પોલીસનું માનવું છે કે માનવ ઘેર જઈ બેડરૂમમાં ગેસ(પેટ્રોલ)છાંટી , ઘરમાં બધે છાંટતા,છાંટતા રસોડા સુધી અવ્યો હશે અને આગ લગાડી રસોડાની બારીમાંથી છટકી જ્વાનો ઈરાદો હશે પણ આગ એટલી ઝડપી વધી હશે કે તે પણ છટકી ના શક્યો.
શું મા-બાપને બાળી ઈન્સ્યુરન્સના લાખો ડોલર મેળવવાના આવો મેલો ઈરાદો દીકરો કરી શકે? જે મા-બાપે ૧૭ વર્ષ પહેલાં અનાથ માનવને ભારત જઈ એડાપ્ટ (ગોદે લીધેલ) કરેલ તે વખત માનવની ઉંમર માંડ ત્રણ મહિનાની હશે.અમેરિકામાં જ્યારે લાવ્યા ત્યારે એક ભવ્ય પાર્ટી જેમાં પાચસો થી પણ વધારે મહેમાનો આમત્રિંત કરેલ. માનવની સંભાળ અને દેખરેખ રાખવા મંજુલાબેન નોકરી છોડી દીધી. મહેશભાઈ એક કંપનીમાં ડિરેકટરની પોસ્ટ પર હતાં એથી આર્થિક દ્રષ્ટીએ સદ્ધર એથી માનવ બહુજ લાડ-કોડમાં ઉછરેલ.મંજુલાબેન પાસે પણ માસ્ટર ડીગ્રી હતી , માનવને હોમવર્કેમાં તેના સ્કુલ પ્રોજેક્ટમાં તેમજ ગણીત-સાયન્સ વગેરેમાં મમ્મીની સહાય બહુજ મળી રહેતી.પરીક્ષામા બધા વિષયમાં “એ” ગ્રેડ (માર્કસ) લાવતો, કલાસમાં સૌથી હોશીયાર માનવ ટીચરનો માનીતો સ્ટુડન્ટ ગણાતો. પોણા છ ફૂટનો માનવ બાસ્કેટ-બોલમાં દરેક ગેઈમ(રમત)ઓછામાં ઓછા ૧૨ પોઈન્ટતો કરેજ. મહેશભાઈ-મંજુલાબેન બન્ને માનવ, સ્કુલમાં એક ઑનર સ્ટુડન્ટ છે એ જાણી ઘણુંજ ગૌરવ લેતાં..મંજુલાબેન કહેતા,”મહેશ,આપણને કોઈ સંતાન નથી થયું એનો કોઈ હરખ-શોક નથી, ગયા જનમની લેણ-દેણ કંઈક બાકી હશે એથી ઈશ્વરે આપણને દીકરાથી પણ વિશેષ એવો “માનવ” આપ્યો, હે! ઈશ્વર અમો તારા ઘણાંજ ઋણી છીએ. આપણી સાથે માનવ નિયમિત શની-રવી મંદીરે આવે છે , મારી બહેનપણી નેહા કહેતી હતી કે “તમારો માનવ તો બહુંજ સુદર પ્રાર્થના ગાય છે, અવાજ પણ એટલો સુંદર છે! તબલા પણ ઘણાંજ સારા વગાડે છે.” મંદીરમાં સૌ એને “માનવ-ભગત” કહીને બોલાવતા.
‘બેટા, માનવ! તારો રીપોર્ટ જોયો, આ વખતે કેમ બે સબ્જેકટમાં “બી” ગ્રેડ?, કાંઈ ટીચરની ભુલ તો નથી થઈને? મંજુલાબેને શાંત સ્વરે પૂછ્યું.. માનવ જવાબ આપ્યા વગર એના રૂમમાં જતો રહ્યો. મંજુલાબેન કસી આગળ ચર્ચા ના કરી. બેટા! તારી તબિયતતો સારી છેને? માનવના બંધ બારણાં માંથી કઈ જવાબ ન મળ્યો. દિન-પ્રતિદિન પરિસ્થિતી બગડતી ગઈ, ગ્રેડ ઓછા આવવા લાગ્યાં, શું થઈ ગયું માનવને? મા-બાપની ચિંતા વધી ગઈ. “બહુંજ , શાંતીથી કામ લેવું પડશે, ટીન-એઈજ એવી વય છે કે કશી ગતાગમ ના પડે છતાં બધુંજ સમજે છે એવું માનીલે..મા-બાપ ખોટા, પોતે સાચા,અને એનું નામ”ટીન-એજર’ સ્કુલના ટીચરે વિધાન કર્યું..ચિતા ન કરતાં, મીસ્ટર માહેશ!હું એને સમજાવીશ..”
ખરાબ શોબતના સંગને બેહુદો રંગ લાગતાં ક્યાં વાર લાગે!માનવ,માઈક અને જેશનની ગેન્ગ(ટોળી)નો ભોગ બન્યો હતો.કશું સમજવા તૈયાર જ નહોતો..નસો કરી ઘેર આવ્યો..ડ્ર્ન્ક(પીધેલ)હતો..મહેશભાઈ ગુસ્સે થઈ કહ્યું..તારી કાર પણ લઈ લઉછું, તારી હાથ ખર્ચી બંધ,જ્યા સુધી તું ખરાબ શોબત અને ડ્રીન્ક પીવાનુ છોડીશ નહીં..માનવ ગુસ્સે થઈ,ગાળ બોલી એના રૂમમાં જતો રહ્યો..મોડી રાત સુધી માઈક સાથે વાતો કરી..યાર! તું એકનો એક છે, મા-બાપ ગયા પછી બધી મિલકત તારીજ તો”..”યાર હું આ મા-બાપથી કંટાળી ગયો છું. એજ રાતે..રાતના બે વાગે ઊઠી મહેશભાઈની કારની ચાવી ઉઠાવી ચુપ-ચાપ ગેરેજમાંથી ગેસ-કેન લઈ..કારમાં નિકળી પડ્યો..ગેસ(પેટ્રોલ) લેવા! વિનાશ કાળે વિપરીત બુધ્ધી!
ફ્યુનરલ-હોમ ખીચો-ખીચ હતું..મહેશભાઈ,મંજુલાબેન અને માનવ ત્રણેના બૉડી એટલા બળેલા હતાં કે ત્રણેના શબ કૉફીનમાં ચાદરથી ઢાંકવા પડ્યા..મહારાજે ધાર્મિક વિધી પુરી કરી,બાદ નજીકના મિત્રોએ શ્રધાંજલી આપતાં પ્રવચનો કર્યા..પછી એક પછી એક લાઈનમાં ફૂલ રાખી માનવ-દેહને છીલ્લી વિદાય આગળ ધપતાં હતાં..છેલ્લી બેન્ચમાં બેઠાં બેઠાં મેં પાછળથી કોઈને બોલતા સાંભળ્યા.. “જોયું..દયા ડાકણને ખાઈ ગઈ!”.’NO ,I am not agreed with your statement…(ના,હું તમારા વિધાન સાથે સહમત નથી).. એમણે તો એક અનાથને આસરો આપી, માનવતાનું કાર્ય કર્યું હતું”…
આપનો આમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી.
.
પિતા હરપળ યાદ આવે છે

વાત્સલ્યના લીલા લીલા પાન ,
મેં તો પીધા મીઠા મધુરા પાન..પિતા હરપળ યાદ આવે છે.
કર્મના કીરતાલ તમો,
પ્રેમની પ્યાલી પીવડાવતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.
આંગળી પકડી,રાહ ચીંધતા રહ્યા,
સફળતાની ચાવી,સંતાનોને દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.
એ ભલા-ભોળા શંકર જેવા,
ખુદ વિષ પી..અમરત દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.
સંતાન-સુખ,એજ લક્ષ્ય,એજ ધ્યેય,
મીઠા ફળ સૌને દેતા રહ્યાં.. પિતા હરપળ યાદ આવે છે.
આજ મ્હેકતો બાગ છે આપના થકી,
માળી બની,બાગનું સિંચન કરતા રહ્યાં..પિતા હરપળ યાદ આવે છે.
આશિષ આપી, સ્વર્ગે સિધાવી ગયા,
પિતૃબની આજપણ આશિષ દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.
હસો અને હસાવો..
![Male%20and%20female%20fly[1] Male%20and%20female%20fly[1]](http://vishwadeep.files.wordpress.com/2009/06/male20and20female20fly11.jpg?w=669&h=420)
Courtesy: Mahendra shah
એક સુંદર કવિતા..

(”આ માનવી માનવ બને તો સારું!” ઘણીવાર વિચારોની ગુફામાં જ્યારે જ્યારે બેસી જાવ છું ને વિચાર કરું છું કે આ અખિલ બ્રહ્માંડમાં સૂર્યનું સ્થાન એક સોયની અણી સમાન છે, સૂર્યના ગ્રહો, એમાની આ પૃથ્વી ! બ્રહ્માંડમાં ફરતાં લાખો સૂર્યો .. આમાં આપણું એટલે માનવનું સ્થાન શું? આપણે શા વિસાતમાં?..આ પૃથ્વી પર કેટલી મહાન વિભૂતીઓ પેદા થઈ..”ઉપદેશ”નો વિરાટ મહાસાગર બનાવ્યો..આપણે કંઈક શિખ્યા? ઉપદેશ આપનાર વિભૂતીને તો આપણે ખિલ્લા મારી ક્રોસ પર લટકાવ્યા! ગોળીઓ મારી એમના શરીરને છિન્ન્-ભિન્ન કરી દીધા..સારી વ્યકતિની જાણે આ માનવી ને જરુર જ નથી! આ માનવજાત જ્યારથી પેદા થઈ છે શરુયાતથી જ પથ્થરથી લડ્યા,પછી લોઢાથી, બંદુકથી…બોમ્બથી..અણું-બોમ્બથી…હવે ન્યુકલીયરથી…એટલે જ માનવનો ત્યાં અંત! શું પછી આ કોઈ આમાથી બચશે ખરુ? ખબર નથી !!)
ઈશુ, ગાંધી, મહાવીર, બુદ્ધ
-બધા જ ચાલતા થયા:
હું નથી માનતો કે હવે
એ લોકો
આપણી વચ્ચી આવવાની
ભૂલ કરે.
સ્વર્ગમાં રહેવા જેવું નથી
અને
પૃથ્વી પર આવવા જેવું નથી
ખીલા કે બંદૂકની ગોળીનો
એમને ડર નથી
વામણા માણસો
મહાવીરને ઓળખે પણ કઈ રીતે?
બુદ્ધને સ્મિત માટે
મૉડેલ થવાની ફરજ પાડે એવા
આ લોકો.
માણસ નામે
ચમત્કારનો યુગ
કાયમ માટે આથમી ગયો છે.
-સુરેશ દલાલ.
આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા
.
સુવાક્યોના સહારે જો જીવીએ અને કંઈક શીખીએ..

જે અનિવાર્ય છે તેની સાથે રકઝક કરવાનો અર્થ નથી; ઈશાની વાયરા સામે એક જ દલીલ થઈ શકે- ધાબળો વીંટી લેવાની.
આપણું શાણપણ આપણા અનુભવમાંથી નીપજે છે અને અનુભવ આપણી મૂર્ખાઈમાંથી પેદા થાય છે.
અનુભવ આપણને કશૂંક મૂરખાઈભરેલું આચરતાં કદી અટકાવી શકતો નથી; એમાંથી આનંદ માતાં જ તે આપણને રોકે છે.
અમુક લોકોને નમ્રતાનું પણ અભિમાન હોય છે-પોતે અભિમાનની નથી એ વાતનું જ અભિમાન.
અભિમાન બે જાતનાં હોય છે: એકમાં આપણે આપણી જાતને અનુમોદન આપીએ છીએ, બીજામાં આપણે આપણી જાતને સ્વીકારી શકતા નથી.
બીજાઓની આપણે જે સેવા કરીએ છીએ, તે ખરેખર તો આ પૃથ્વી પરના આપણા કમરાનું ભાડું છે.
બીજાઓ સમક્ષ અંચળો પહેરવાની આદત આપણને એટલી બધી પડી જાય છે કે અંતે , આપણી જાત સમક્ષ પણ આપણે અંચળો ઓઢીને રાજૂ થઈ એ છીએ.
આફતો બે જાતની હોય છે: આપણાં દુર્ભાગ્યો અને બીજાઓનાં સદભાગ્યો.
આરામ કરવાનો સમય ત્યારે છે જ્યારે એને માટે ફુરસદ ન હોય.
આવતી કાલની મને ફિકર નથી, કારણ કે ગઈકાલ મેં જોયેલી છે ને આજને હું ચાહું છું.
આશા સામન્ય રીતે સારી માર્ગદર્શક નથી હોતી- જો કે માર્ગમાં એની સોબત સારી લાગે છે.
મારી આળસ મને લગીરેય ફુરસદ લેવા દેતી નથી.
સૌજન્ય:ધૂપસળી
મિત્રો:આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી
સ્ત્રી-ચંદ્રકાંત બક્ષીના અવતરણો

દરેક સાસુએ હવે ડર લાગે છે કે ૮ વાગે પૂત્રવધૂ ઊઠશે અને ઘડિયાલ સામે જોઈને પૂછશે કે મમ્મી, તમે હજી સુધી કંઈ જ કર્યું નથી? સાસુ અને વહુનાં કજોડા હવે ચાલશે નહીં, સાસુએ એડજસ્ટ થવું જ પડશે. માતૃદેવો ભવ: પછી સાસુદેવો ભવ: આવી રહ્યુ છે?
જ્યાં સુધી સ્ત્રી શિક્ષિત નથી, અને જ્યાં સુધી એ પોતાની આવક કરી શકતીઅને જ્યાં સુધી એની રોટલા માટે ભર્તા(એટલે ભરણપોષણ કરનાર) પર પૂર્ણત: નિર્ભ્રર છે ત્યાં સુધી સ્ત્રીની સમાનતા એ માત્ર ભર્મ છે. એક અકલ્પના છે . જે સમાજમાં પ્રેમને પણ સ્ત્રીની ચામડીના સૌંદર્યથી સંબંધ છે, એ સમાજમાં સ્ત્રી એક વ્યક્તિવિશેષ નથી, પણ વસ્તુવિશેષ છે.
સુખી ગુજરાતી સ્ત્રીઓને સમાજે સેકસલેસ બનાવી દીધી છે? સેકસ એક સ્પાર્કપ્લગ છે, સ્ટાર્ટર છે, એની રોશની પૂરા લગ્નજીવન પર છવાઈ જાય છે પછી ગુજરાતી સ્ત્રીની સેકસ હોલવાઈ જાય છે, પાછળ માત્ર પ્રતિષ્ઠા પૂર્વગ્રહ. ઈન્હિબિશનનો કચરો રહી જાય છે.
સ્ત્રીને પ્રતિમાસ કાચા માંસની વાસવાળું લાલ શ્યામ રક્તિમ ઘટ્ટ પ્રવાહી શરીરમાંથી વહેતું જોવાનો અભ્યાસ હોય છે. રકત અને અગ્નિથી સ્ત્રીનો નાતો રહ્યો છે, પુરુષ ભાગતો હોય છે.
સ્ત્રી શબ્દમાં ત્રણ લીટીઓ છે, માટે એમાં સત્વ, રજસ અને તમસ ત્રણે હોય છે.
એક વાદ એવા છે કે સ્ત્રી પાણી જેવી છે, જે વાસણમાં મૂકો એ વાસણનો આકાર અખ્તિયાર કરી લે છે, બીજો પ્રતિવાદ એવો છે કે સ્ત્રી માટી જેવી છે અને માટે ભીંસાયા પછી જ આકાર ગ્રહણ કરે છે.કદાચ વધારે સૂચક રૂપક સીમેન્ટનું છે: સ્ત્રી સીમેન્ટ જેવી સુવાળી અને મુલાયમ છે, એ ભીંજાય છે, સુંવાળી બની જાય છે,પાછી સૂકાય છે, સખત બનતી જાય છે, અને અંતે જે કન્ટેઈનર કે વાસણમાં બંધ છે એને જ તોડી નાંખે છે!
હિન્દુસ્તાન એ દેશ છે જ્યાં વિજ્ઞાનની પ્રગતિનો ઉપયોગ સ્ત્રીના ગર્ભને મારી નાખવા માટે થાય છે. હિન્દુસ્તાન એ દેશ છે જ્યાં સ્ત્રીને ઊંચી પીઠિકા પર દેવી બનાવીને બેસાડી દીધી છે અને બીજી તરફ એક સાયકલ કે સ્કૂટર ન ચલાવવા માટે સ્ત્રીને જીવતી જલાવી દેવામાં આવે છે. અને કરૂણતા એ વાતની છે કે શિક્ષિત સ્ત્રી કુટુંબમાં પણ પોતાના જ પુત્ર અને પુત્રી વચ્ચે સ્પષ્ટ અસમાનતા રાખે છે.
આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો..


